(અહેવાલ: મયંક દેવમુરારી)
૭ નવેમ્બરના દિવસ ને કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય લોકોમાં કેન્સરની બીમારી અંગે જાગૃતતા ફેલાવવાનો તેમજ આ બીમારીની ઓળખ કરી તેને આગળ વધતી અટકાવવાની સાથે-સાથે તેનાં સારવાર અને નિવારણની જાણકારી આપવાનો છે.
મોરબીના રંગપર પીએસસી હેઠળ આવતા અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા અણીયારી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ કેન્સર જાગૃતતા દિવસની CHO ડો. દેવાંશીબેન અને આશા વર્કર દિવ્યાબેન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી





