મોરબીના નિવૃત શિક્ષકે ઉજવ્યો જિંદગીનો અમૃત મહોત્સવ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના નિવૃત્ત શિક્ષકે 75 માં જન્મદિનની ઉજવણી પ્રસંગે સેવાકીય સંસ્થાઓને આપ્યું દાન

મોરબીના લોકો કંઈક ને કંઈક નિતનવું કરતા રહે છે,એ નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સેવાકીય પ્રવૃત્તિઓમાં જરૂરી આર્થિક યોગદાન આપીને પુણ્યનું ભાથ્થુ પ્રાપ્ત કરતાં રહેતા હોય છે,એ અન્વયે મૂળ રાજપર (મોરબી) ગામના અને હાલ મોરબી નિવાસી નિવૃત્ત શિક્ષક કે જેઓ છેલ્લે કે.નિ.વહીવટ તરીકે નિવૃત થયેલા મનજીભાઈ કરશનભાઈ કોરડિયાએ પોતાના 75 માં જન્મદિન અને નોકરીના નિવૃત્તિ દિને “અમૃત મહોત્સવ” ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરી હતી જેમાં ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સગા,વ્હાલા,સ્નેહી મિત્રોની ઉપસ્થિતમાં 75 વર્ષની સંઘર્ષ, સંતોષ, શાંતિ, સફળ સુહાની સફરના સાથીઓએ મનજીભાઈ કોરડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી, આ પ્રસંગે એમને પોતાના પુત્રવધુ, પુત્રી, પૌત્ર, પૌત્રી,ભાણેજ અને ભાઈની દિકરીને સોનાની ગિફ્ટ અર્પણ કરી હતી તેમજ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, યદુનંદન ગૌશાળા, સનાતન ધૂન મંડળ, રાજપર (મોરબી) તાલુકા શાળા,પાટીદાર કેરિયર એકેડમી વગેરે સંસ્થાઓમાં આર્થિક યોગદાન આપી પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય દ્વારા મનજીભાઈએ “અમૃત મહોત્સવ” ઉજવણી કરી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમના પુત્ર કમલેશભાઈ કોરડીયા, પૌત્ર હિમાંશુ કોરડીયા, પુત્રવધુ, પુત્રી, પૌત્રી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મોરબીના જાણીતા એન્કર દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW