સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરિયાના સંચાલન હેઠળ સેવાકીય નવરાત્રીનું આયોજન
ભવ્ય સંગીતમય નવરાત્રી માટે થઈ જાઓ તૈયાર…
સેવા, સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સંગમ
મોરબી: શહીદ જવાનોના પરિવારના લાભાર્થે મોરબીમાં ભવ્ય પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરિયાના સંચાલન હેઠળ યોજાનાર આ સેવાકીય નવરાત્રીમાં સંગીત અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે.
આ ભવ્ય નવરાત્રીમાં ગરબા સમ્રાટ સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી, કરણ બારોટ અને રૂપાલી જાંબુઝા માતાજીના ગુણગાન સાથે ગરબાની રમઝટ બોલાવશે. નવરાત્રી દરમિયાન ભક્તિમય માહોલ સાથે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહીદ જવાનોના પરિવારના લાભાર્થે યોજાનાર આ સેવાકીય નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા તેમજ શહીદ પરિવારો પ્રત્યે પોતાની લાગણી અને સહયોગ વ્યક્ત કરે તેવી અપીલ કરવામાં આવી છે.


