મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે. તેઓ આજરોજ શિક્ષણ જગત તેમજ સામાજીક ક્ષેત્રે જેમનું ખુબજ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જેવા કે સંચાલક જનતા કલાસીક-મોરબી પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, પ્રમુખ-શ્રી લોહાણા મહાપરિષદ-મોરબી, પ્રમુખ-શ્રી લોહાણા વિધોતજક ફંડ-મોરબી, કન્વીનર- શ્રી લોહાણા મહાજન-મોરબી, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તરીકેની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, તેમના શુભચિંતકો તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.






