Sunday, February 23, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતી કાલે તા.૧૬ ફેબ્રુઆરીના પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા આવતીકાલ તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નગરવાસીઓમાં પુસ્તકોના વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ-મોરબી ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પુસ્તક પરિચય-બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ શ્રી જલરૂપ રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર શ્રી કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે.

આ પ્રદર્શન મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાના પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અંગે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW