મોરબી નાગરિક બેન્કમાં નવા નેતૃત્વની વરણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરની અગ્રણી સહકારી નાણાકીય સંસ્થા મોરબી નાગરિક બેન્ક ખાતે તાજેતરમાં યોજાયેલી પ્રક્રિયામાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે બહુમતીથી વરણી કરવામાં આવી છે.
બેન્કના ચેરમેન તરીકે શહેરના જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ પોપટ (રિધ્ધિ ફટાકડા) ની બહુમતીથી પસંદગી કરવામાં આવી છે. તેમજ વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજા ની પણ બહુમતીથી વરણી કરવામાં આવી છે.
બંને આગેવાનો લાંબા સમયથી સામાજિક રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહી વિશ્વાસ અને પ્રતિષ્ઠા મેળવનાર વ્યક્તિઓ તરીકે ઓળખાય છે. તેમના નેતૃત્વ હેઠળ બેન્ક વધુ મજબૂત બને અને ગ્રાહકોને ઉત્તમ સેવાઓ મળી રહે તેવી બેન્કના સભ્યો તથા શહેરવાસીઓમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ નિમિત્તે શહેરના આગેવાનો, સભ્યો અને શુભેચ્છકોએ નવી ટીમને અભિનંદન પાઠવી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW