હળવદ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તાવક્તા.. જાગૃતિબેન જોબનપુત્રા એ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં શિક્ષકે બદલાતા શૈક્ષણિક પડકારોને સ્વીકારી સમાજને સજાગ અને સંસ્કારી પેઢી આપવાનો સંકલ્પ કરવો જરૂરી છે. શિક્ષકનું સામાજિક ગૌરવ વધે, શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણ ઉભું થાય અને સમાજમાં શિક્ષક પ્રત્યે આદરભાવ વધે તેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે.* *ગુરુવંદન કાર્યક્રમ તેનો જ એક ભાગ છે.* મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્ય કરી રહ્યુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. અતિથિ વિશેષ તરીકે જિલ્લાના મંત્રી પ્રવિણભાઈ ધોળુ અને તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણીયાએ પણ શિક્ષકનું મહત્વ, ગુરુઓની ગરીમાં વિશે વાતો કરી હતી,કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક મહાસંઘ હળવદની સમગ્ર તાલુકા ટીમે હાજરી આપી હતી


