LL.B., MBA અને BBA કોલેજમાં વિવિધ વિષયોના પ્રોફેસરો માટે તકો
મોરબી: નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ, મોરબી દ્વારા એકેડમિક વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે પ્રોફેસરોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાની LL.B., MBA અને BBA કોલેજમાં તમામ વિષયોના પ્રોફેસરો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે પોતાની પ્રતિભા અને કારકિર્દીને નવી દિશા આપવાની તક મળશે. સંસ્થા દ્વારા પસંદગી પામનાર ઉમેદવારો માટે ટ્રાન્સપોર્ટેશન, રહેવાની તેમજ જમવાની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
ઇચ્છુક ઉમેદવારો પોતાની અરજી અથવા બાયોડેટા WhatsApp મારફતે 9913067898 નંબર પર મોકલી શકે છે.
શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા અને સંબંધિત વિષયમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસની આ ભરતી મહત્વપૂર્ણ તક બની શકે છે.


