આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

૭૦ વર્ષના દર્દી, જેમને જમણા પડખામાં દુખાવો,પેશાબમાં બળતરા,ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલી ગઈ હતી. આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.
ત્યારબાદ ડૉ. કેયુર પટેલ સાહેબ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની ની સલાહ આપવામાં આવી. દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવા માં આવ્યો ડૉ. કેયુર પટેલ દ્દાવારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ. ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો.તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી.અને ત્રીજા જ દીવસે દર્દીને હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW