Tuesday, March 10, 2026

મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા અને ટ્રસ્ટ ચૂંટણી અંગે બેઠક જાહેર

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૦૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ વાગ્યે રામઘાટ સ્થિત રામાનંદ ભવન, મોરબી ખાતે યોજાનાર છે. આ સભામાં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટની ચૂંટણી માટે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ અંગે રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી અખબારી યાદી દ્વારા સમાજના તમામ સભાસદોને અનિવાર્ય રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.

તદુપરાંત, તા. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે સમાજના જરૂરી મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવા માટે અલગ બેઠક પણ યોજાનાર છે. આ બેઠકમાં સમાજના તમામ ભાઈઓ અને બહેનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW