મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 27/05/2026 બુધવારના રોજ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પીપળી જેજીવાય ફીડર સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.
જેના કારણે તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આસપાસના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જૂનું ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
ઉપરોક્ત ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પૂર્વ જાણ વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.




